પ્રયોજન

♥ પંચમ શુક્લ

ત્યારે જ તો પમાયું લવલેશનું પ્રયોજન,
નિઃશેષને વર્યું જ્યાં આશ્લેષનું પ્રયોજન!

તરતોતરત શમેલું ઊછળ્યું ન હોત આવું,
પ્રગટ્યું ન હોત પાછું આવેશનું પ્રયોજન!

ભરપૂર તો’ય ખાલી આ ઉપનિવેશ સઘળા,
ક્યાં જઈ ઠરું, રહું હું, શું દેશનું પ્રયોજન?

કહેવું’તું કોઈને એ વીંટી વળ્યું મને ખુદ,
પળપળ પછી જ પીગળ્યું આદેશનું પ્રયોજન!

કોણે ઝીલી લીધું મન, અધ્ધરથી અધવચાળે?
કોને હવે ઝિલાવું સંદેશનું પ્રયોજન!

૧૨-૧૧-૧૯૯૪

લવલેશઃ લેશમાત્ર
નિઃશેષઃ કંઈ જ શેષ ન હોય એવું
ઉપનિવેશઃ વસાહત

છંદોવિધાનઃ ગાગા લગા લગાગા, ગાગા લગા લગાગા



28 Comments

  1. himanshupatel555
    Posted ઓગસ્ટ 1, 2009 at 2:01 એ એમ (am) | Permalink

    gazal is not my cup of tea
    yet i always read it.though they are meaningful to me it is always
    more enjoyable on audio than
    in words:basically what i want to
    say is gazal is rich phonetic art.Mr shukla please write it and i would always read it to enjoy it.’pryojan’ i enjoyed it.

  2. Posted ઓગસ્ટ 1, 2009 at 7:59 એ એમ (am) | Permalink

    ભરપૂર તો’ય ખાલી આ ઉપનિવેશ સઘળાં,
    ક્યાં જઈ ઠરું, રહું હું, શું દેશનું પ્રયોજન?
    સુંદર ગઝલ અભિનવ પ્રાસ અનુપ્રાસયુક્ત નાવીન્યપૂર્ણ રસપ્રચૂર, મધુર,

  3. Posted ઓગસ્ટ 1, 2009 at 7:27 પી એમ(pm) | Permalink

    Wah Wah! Khub saras rachna…Maqta lajawaab pan matla is in a different league…4th sher samajtaa thodi vaar laagi!

  4. Posted ઓગસ્ટ 1, 2009 at 11:15 પી એમ(pm) | Permalink

    અરે વાહ! સુંદર કલ્પનાનું ગઝલમાં પ્રયોજન

  5. Posted ઓગસ્ટ 3, 2009 at 12:38 એ એમ (am) | Permalink

    કોણે ઝીલી લીધું મન, અદ્ધરથી અધવચાળે?
    કોને હવે ઝીલાવું સંદેશનું પ્રયોજન…..
    Very nice lines in a very nice Gazal…I took these lines as they pertain to MAN…& I has just posted a Kavya entitled “MAN ane VISHVAS “on my Blog, Chandrapukar. Your readers are all invited & thanks to YOU for visiting my Blog >>>>Chandravadan.
    http://www.chandrapukar.wordpress.com

  6. Posted ઓગસ્ટ 3, 2009 at 1:51 એ એમ (am) | Permalink

    કોણે ઝીલી લીધું મન, અદ્ધરથી અધવચાળે?
    કોને હવે ઝીલાવું સંદેશનું પ્રયોજન!
    … ખુબ અર્થસભર અને ઉમદા રચના.
    ગઝલનું રસદર્શન કરાવ્યું હોત તો હજુ વધુ મઝા આવત.

  7. Posted ઓગસ્ટ 3, 2009 at 2:14 એ એમ (am) | Permalink

    તમારી ગઝલની કોમેન્ટ કરવી એ તો સૂરજને દિવો ધરવા જેવી વાત છે. પણ મને એક શેર બહુજ ગમ્યો.

    કહેવું’તું કોઈને એ વીંટી વળ્યું મને ખુદ,
    પળપળ પછી જ પીગળ્યું આદેશનું પ્રયોજન!

    બહુત ખુબ!

  8. Posted ઓગસ્ટ 3, 2009 at 5:42 એ એમ (am) | Permalink

    કહેવું’તું કોઈને એ વીંટી વળ્યું મને ખુદ,
    પળપળ પછી જ પીગળ્યું આદેશનું પ્રયોજન!

    priya panchambhai,
    very nice.
    aa pal nu sambhaarnu,jivan nu mahaamoghu gharenu bani rahe.
    Markand Dave.

  9. pragnaju
    Posted ઓગસ્ટ 3, 2009 at 7:30 એ એમ (am) | Permalink

    સુંદર ગઝલ…

    દરેકને સ્વતંત્રતા અને જાતે જ ફેંસલો કરવાનો અધિકાર છે. આની સાથે જ ઉપનિવેશવાદ જલદીથી ખતમ થઈ જાય તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. ૧૯૬૨માં ઉપનિવેશવાદની સમાપ્તિને લઈને એક વિશેષ સમિતિ બનાવવામાં આવી હતી. આ સમિતિએ ઉપનિવેશવાદ ખતમ કરવા માટે ખાસ ધ્યાન રાખવાનું હતું. ૧૯૯૦-૨૦૦૦ના દાયકાને આંતરરાષ્ટ્રીય ઉપનિવેશવાદ સમાપ્તિ દસક તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આપણા નેતાઓ પહેલેથી કહે છે-‘હમારા કોઈ ઉપનિવેશ નહીં ઔર ન હી ઉપનિવેશ બનાને કી ખવાઇશ। જબકિ દુનિયા કો ઉપનિવેશ બનાને વાલે આજ નયે સે નયે કુચક્ર રચ રહે હૈં। હમારી નિગાહેં ભી જિન્હેં દેખ પાને મેં અસમર્થ …’
    ભરપૂર તો’ય ખાલી આ ઉપનિવેશ સઘળા,
    ક્યાં જઈ ઠરું, રહું હું, શું દેશનું પ્રયોજન?

  10. Posted ઓગસ્ટ 3, 2009 at 9:14 એ એમ (am) | Permalink

    ખૂબ સરસ. ઘણાં કઠિન શબ્દોને સારી રીતે પ્રયોજ્યા.

  11. Posted ઓગસ્ટ 3, 2009 at 11:30 એ એમ (am) | Permalink

    કહેવું’તું કોઈને એ વીંટી વળ્યું મને ખુદ,
    પળપળ પછી જ પીગળ્યું આદેશનું પ્રયોજન!
    સુંદર..

  12. Posted ઓગસ્ટ 3, 2009 at 3:13 પી એમ(pm) | Permalink

    કોણે ઝીલી લીધું મન, અદ્ધરથી અધવચાળે?
    કોને હવે ઝીલાવું સંદેશનું પ્રયોજન! …..
    Liked the Gazal..Posted my Comment & invited you & readers to Chandrapukar to read the Post “MAN ane VISHVASH ”
    http://www.chandrapukar.wordpress.com

  13. डॉ. निशीथ ध्रुव
    Posted ઓગસ્ટ 3, 2009 at 5:32 પી એમ(pm) | Permalink

    -एश-युक्त शब्दोने अर्थावलिमां सांकळीने सुन्दर गझल बनावी छे. दरेक प्रयोजन छेवटे अर्थहीन बनी रहे एवुं कंईक बनतुं रहे छे. आश्लेष आप्या पछी कंई शेष हरेतुं नथी – एकत्वनुं आराधन थाय छे. पण ए क्षणिक एकत्वमांथी वळी पाछा नवा आवेशो अने उन्मेषो प्रकटे छे. बधा उपनिवेशोमां जईने पण खालीपो वरताय छे. अने समस्त विश्व ज वसाहत माटे खुल्लुं छे तो पछी देश-विदेशना भेदभावनुं शुं प्रयोजन? उपनिवेश एटले संस्थान एवो अर्थ घटावीए तो पछी समजाय के संस्थान-मालिक सदासर्वदा आदेश आपी शकतो नथी. स्वातन्त्र्यनी अदम्य ऊर्मिओ सामे आदेशोने पीगळवुं ज पडे छे. गांधीजीए कह्युं के मारुं जीवन ज मारो सन्देश छे. पण एमने कोईक अधवचाळे ज ऊंचकी गयुं. ए सन्देश कई रीते झिलाशे?

  14. Posted ઓગસ્ટ 4, 2009 at 3:36 એ એમ (am) | Permalink

    very nice ghazal.Enjoyed

    mukesh joshi

  15. Posted ઓગસ્ટ 4, 2009 at 5:41 એ એમ (am) | Permalink

    ત્યારે જ તો પમાયું લવલેશનું પ્રયોજન,
    નિઃશેષને વર્યું જ્યાં આશ્લેષનું પ્રયોજન!

    કોણે ઝીલી લીધું મન, અધ્ધરથી અધવચાળે?
    કોને હવે ઝિલાવું સંદેશનું પ્રયોજન!

    very very nice gazal,

    matla is toooo good !

  16. sudhir patel
    Posted ઓગસ્ટ 5, 2009 at 3:23 એ એમ (am) | Permalink

    Enjoyed your nice Gazal!
    Sudhir Patel.

  17. Posted ઓગસ્ટ 5, 2009 at 11:28 એ એમ (am) | Permalink

    એક ખાલીપો..એક આંખના ખૂણાની ભીનપ કેટ્લી અસરકારક રીતે રજુ થઇ છે…વાહ.

  18. Posted ઓગસ્ટ 8, 2009 at 3:12 એ એમ (am) | Permalink

    વાહ પંચમભાઈ,
    ગૂઢભાવાભિવ્યક્તસભર રચના બની છે.
    કેટલાક શબ્દો જે ગઝલમાં પ્રયોજવા,પ્રમાણમાં અઘરા પડે એ તમે સહજરીતે અને સરળતાથી પ્રયોજી/પ્રસ્થાપિત કરી શકો છો એ મેં તમારી લગભગ રચનાઓમાં માર્ક કર્યું છે.
    -અભિનંદન.

  19. Posted ઓગસ્ટ 8, 2009 at 9:31 એ એમ (am) | Permalink

    very good, panchambhai. unusual kafiya introduced very nicely.

  20. Posted ઓગસ્ટ 8, 2009 at 10:27 એ એમ (am) | Permalink

    ત્યારે જ તો પમાયું લવલેશનું પ્રયોજન,
    નિઃશેષને વર્યું જ્યાં આશ્લેષનું પ્રયોજન!

    તમારી રજૂઆત અલગ, તમારા પ્રયોજ્યા’તા શબ્દો અલગ, તમારી છટા અને લય અલગ !! વાહ…વાહ જનાબ મજા આવી ગઈ!!
    તાજગી અને નાવીન્ય બક્ષતિ તમારી રચનાઓ નો બીજે કયાંય જોટો જડવો મુશ્કેલ છે !!
    સાહેબ તમારી આ કૃતિઓ સામયિકોમાં મોકલો છો કે નહીં ?! ના મોકલતા હોય તો જરૂરથી ભારત ના સામયિકો માં મોકલવાનું ચાલુ કરો જેથી જે લોકો નેટ વાપરતા નથી તેવા સર્જકોને તમરી આ કૃતિઓ નો આસ્વાદ મળે!!

  21. Posted ઓગસ્ટ 9, 2009 at 3:38 એ એમ (am) | Permalink

    Very very nice gazal!!new radif ane kafiyanu prayojan.

    Maja aavi! Really nice gazal!
    sapana

  22. Posted ઓગસ્ટ 16, 2009 at 5:32 પી એમ(pm) | Permalink

    પંદર વરસ પહેલાનું (૧૧/૧૯૯૪)આ શબ્દ પ્રયોજન હજુ એટલું જ તાજું છે, તગતગતું છે; એને છલકાતી ચાંદની જેમ માણ્યું. એક વાત ના સમજાઈ કે આ અત્યંત નાજુક રચના છુપી શીદ રહી?
    ફારુક ઘાંચી ‘બાબુલ’

  23. Posted ઓગસ્ટ 20, 2009 at 6:27 પી એમ(pm) | Permalink

    લાંબા સમયથી મારો પ્રતિભાવ મોકલવો હતો, રહી ગયો. સાવ રહી ન જઉં એટલે આજે લખવા બેઠો. તમારા પ્રયોજનમાં મને ક્યાંક જીપ્સી બેસેલો દેખાયો, તેથી તમારો સહયાત્રી છું એવું લાગ્યું. તમારા જ શબ્દોમાં, “ભરપૂર તો’ય ખાલી આ ઉપનિવેશ સઘળા,
    ક્યાં જઈ ઠરું, રહું હું, શું દેશનું પ્રયોજન?” મુક્ત જીવ, મુક્ત વિચાર અને ુદાત્ત વાણી – બધા તમારી ગઝલમાં દેખાયા. સરસ.

  24. Posted ઓગસ્ટ 21, 2009 at 1:17 પી એમ(pm) | Permalink

    સુંદર ગઝલ…

    ધીમે ધીમે ઊઘડે છે પણ ઊઘડે છે ત્યારે ઝળાંહળાં કરી દે એમ !

  25. Posted ઓગસ્ટ 27, 2009 at 12:07 પી એમ(pm) | Permalink

    agreed with vivekbhai…

    તરતોતરત શમેલું ઊછળ્યું ન હોત આવું,
    પ્રગટ્યું ન હોત પાછું આવેશનું પ્રયોજન!

    કોણે ઝીલી લીધું મન, અધ્ધરથી અધવચાળે?
    કોને હવે ઝિલાવું સંદેશનું પ્રયોજન!

    liked these 2 very much…

  26. Posted સપ્ટેમ્બર 26, 2009 at 5:49 પી એમ(pm) | Permalink

    પંચમભાઈ, આપના બ્લોગની આજે નિરાંતે મુલાકાત લીધી અને મોટાભાગની રચનાઓ માણી. મન તરબતર થઈ ગયું. તમારી ગઝલો અને મુક્તકો ઊંડાણવાળા છે. મઝા આવી.
    —‘મન’ પાલનપુરી

  27. Posted ડિસેમ્બર 2, 2009 at 3:16 પી એમ(pm) | Permalink

    મારી નમ્ર વિનંતિ છે કે મારા બ્લોગને આપ યાદીમાં શામીલ કરશો.
    બ્લોગનિ લિન્ક- http://gujratisms.wordpress.com

  28. kalpesh jinjo (diu)
    Posted એપ્રિલ 25, 2010 at 9:15 એ એમ (am) | Permalink

    khub j sarsh


Post a Comment to sudhir patel

Required fields are marked *
*
*